Friday, June 27, 2025
HomeGujaratશ્રી છત્તર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

શ્રી છત્તર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

તારીખ- 26/06/2025 ને ગુરૂવારના રોજ શ્રી છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો, જેમાં આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ-9 ના બાળકોને મહેમાનશ્રીઓના હસ્તે પ્રવેશ અપાવ્યો હતો, મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી બી.એચ.વાઢેર સાહેબ( ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી, હાયર એજ્યુકેશન ગાંધીનગર), એચ.એમ. જેતપરિયાસાહેબ( જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી),ઢેઢી કૌશિકભાઈ( સી.આર.સી કોર્ડીનેટર મીતાણા) પધાર્યા હતા.

- Advertisement -
- Advertisement -

તેમના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મહેમાનોનું સ્વાગત પ્રતિભાશાળી બાળકો દ્વારા પુસ્તક આપી આવકાર આપવામાં આવ્યો હતો.મહેમાનોનો પરિચય અને જુદી જુદી પરીક્ષાઓમાં (P.S.C. જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના) ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીનો પરિચય શાળાના આચાર્ય બી.એસ.સંઘાણી દ્વારા કરાવવામાં આવ્યો હતો, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવતા બાળકોને દાતાશ્રી ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી દ્વારા સ્કૂલ બેગ આપવામાં આવી હતી, સરકારની યોજનાની વાત માધ્યમિક શાળાના આચાર્ય શિલ્પાબેનએ કરી હતી, કાર્યક્રમના અંતમાં મહેમાનઓના હસ્તે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ શિક્ષક મિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!