Sunday, September 8, 2024
HomeGujaratકેન્દ્રીય બજેટ 2023-24ને અનુસંધાને મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે સેમિનારનું આયોજન

કેન્દ્રીય બજેટ 2023-24ને અનુસંધાને મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે સેમિનારનું આયોજન

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 01 ફેબ્રુઆરી 2023 ના રોજ સામાન્ય બજેટ રજૂ કર્યું. તેમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેને લઇ બજેટ અંગે લોકોને માહિતગાર કરવા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે સાંજે 4:30 કલાકે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, અમૃત કાળના કેન્દ્રીય બજેટ 2023-24 અંગે પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામા આજે સાંજે 4:30 કલાકે સ્કાય મોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. અને લોકોને માર્ગદર્શન પૂરું પડશે. ત્યારે સેમિનારમા મોરબી જિલ્લાના ઉદ્યોગપતિઓને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા ભાજપ, મોરબી જિલ્લા ITSM સેલ, મોરબી જિલ્લા ઉધોગ સેલ અને મોરબી જિલ્લા સી.એ. સેલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!