નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે મોરબીમાં હાઈવે પર રોજબરોજ અકસ્માતો સર્જાય છે. સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે અને હાલ ચોમાસાના કારણે આ ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતો સર્જાય છે. જેને લઈ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર ભષ્ટ્રાચારનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
મોરબીમાં ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પરથી અનેક વહાનો અવર-જવર કરે છે. આ હાઈવે માળીયા ફાટક ઓવરબ્રિજથી માળીયા શહેર સુધી થોડા જ વરસાદમાં પાણી ભરાવાના લીધે ખાડા પડી ગયા છે. જે ખાડામાં નાના વહાનોનું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે. હાઈવે પરથી પીપળી રોડ પર જવા માટે જે ડીવાઈડર છે તે ડીવાઈડરના વણાંકમાં જ એટલા મોટા અને ઉંડા ખાડા છે કે તેમાં બાઈક અને કાર જેવા વહાનોનું અકસ્માત થઈ શકે એવી પરિસ્થિતિ છે. ત્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ હાઈવે પર ખુબ મોંધુ ટોલનાકું છે અને અઢળક રૂપિયા ટોલનાકા દ્વારા ઉઘરાવવામાં આવે છે. છતાં જો મેઈન હાઈવે પર ખાડા પડી જતાં હોય તો આ રૂપિયા ભષ્ટ્રાચારી પોતાના ખીસ્સા ભરતાં હોય તેવું લાગે છે. આ ખાડા જો હાઈવે ઓથોરિટી દ્વારા રી-સરફેસ કરી વ્યવસ્થિત રીતે પુરવાની માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવાં ખાડા ન પડે તે માટે હાઈવે ઓથોરિટીને હાઈવે પર વરસાદનું પાણી ન ભરાય તેવી રજૂઆત કરવામાં આવી છે.