મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે શ્રી દામજીભગત મહંત શ્રી મંદિર બગથળાવાળા તથા યજમાનશ્રીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શ્રી દામજીભગત મહંત શ્રી દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









