શ્રી વિશાશ્રીમાળી વાણિક જ્ઞાતી સંચલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક દવાખાનું ટ્રસ્ટ નિમિતે મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વાણિક જ્ઞાતી સંચલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. ૧૯૪….. ના દાતા સ્વ. ઉભિયા શંકર, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રતિલાલભાઈ અને સ્વ. શાંવિલાલભાઈ દોશી પરિવાર, મોરબી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઇ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૦૨/૦૮/૨૦૨૫ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને 03/05/2024 રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર સ્કો મમુરભાઈ વોરા મો. ૯૫૩૭૦ ૯૯૨૧૯. પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવાનું રહેશે. તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.