સમસ્ત સિંધી સમાજ દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૫ ચૈત્ર સુદ ૨ ને રવિવારના રોજ ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ (ચૈત્ર બીજ) ની ભવ્ય ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવશે. જેમાં સવારથી સાંજ સુધીમાં આરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવશે.
સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની તા. ૩૦/૦૩/૨૦૨૫ ને રવિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ચેટીચંડ ચૈત્ર બીજના રોજ ૧૦૭૫ માં શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ઉજવાશે. જેમાં સવારે ૮ વાગ્યે ધ્વજા રોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ વાગ્યે, મહાપ્રસાદ અને સાંજે ૪ : ૩૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. ચૈત્રી બીજના ભંડારા પ્રસાદના દાતા તરીકે સ્વ. કિશનચંદ ગાગનદાસ તુલસીયાણી છે. શ્રી ઝૂલેલાલ મહોત્સવમાં મોરબીમાં વસતા દરેક સિંધી પરિવારે ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.