મોરબીના સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રહેણાક ગીચ વિસ્તારમાં મોબાઇલ ટાવર ન ઉભા કરવા રજૂઆત કરાઈ છે. મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ માં બે ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેને કારણે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે કેવી રીતે ગીચ વિસ્તારમાં પરમિશન આપવામાં આવી ? કોને પરમિશન આપી તેની માહિતી સહિતની વિગતો માંગી તાત્કાલિક ધોરણે ગીચ વિસ્તારમાંથી મોબાઇલ ટાવર દૂર કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ વગેરે એ મુયુનીસિપલ કમિશ્નરને પત્ર લખી રહેણાક ગીચ વિસ્તારમાં મોબાઇલ ટાવર ન ઉભા કરવા બાબતે રજૂઆત કરાઈ છે. જેમાં ગૌરાંગ શેરી, પારેખ શેરીની અંદર ગેર કાયદેસર રીતે પ્રતિમાં એપાર્ટમેન્ટમાં ટાવર ઉભુ કરવામાં આવ્યું છે. જે ટાવર કોની મંજુરી થી અને કોના કહેવાથી ઉભુ કરેલ છે ?અને કયા અધિકારી અને કઈ કચેરીએ મંજુરી આપેલ છે. ? તેની માહીતી આપવા માટે રજૂઆત કરાઈ છે. તેમજ પ્રતિમા એપાર્ટમેન્ટમાં સી.સી.ટી.વી. કેમેરા કે ફાયરની સુવિધા પણ નથી. તો આગ લાગવાની દુઘર્ટના બને તે ફાયર ગાડી આવી શકે તેમ ન હોય તો આવા બનાવ બને તો આની જવાબદારી કોની ? તેમજ મોબાઇલ ટાવરથી થતા નુકશાન જેમાં ગર્ભવતી મહીલા, પશુ-પંખીને કે વૃધ્ધ લોકોને જે ગંભીર અસર થયા તો તેની જવાબદારી કોની ? તેવા સવાલો સાથે ટાવર કાઢી નાખવા રજૂઆત કરાઈ છે. તેમજ મોરબી મહાનગરપાલીકાનું ટેકસ પણ આ પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળા અને દલીચંદે ભર્યું નથી. તેથી પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળાને ત્યાંથી ટાવર તાત્કાલીક કાઢવા માટે મોરબી મહાનગર પાલીકાને પાસે માંગણી કરવામાં આવી છે. તેમજ એક ટાવરનું ભાડુ રૂા. ૪૦,૦૦૦/- ચાલીસ હજાર લેવામાં આવે છે તેવા બે ટાવર છે. તેથી પ્રતિમાં એપાર્ટમેન્ટના મોબાઇલના ટાવરના માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા મહાનગરપાલીકાના કમીશ્નર પાસે માંગ કરવામાં આવી છે.