Wednesday, June 11, 2025
HomeGujaratમોરબી મચ્છુ નદીમાં ઊભી કરેલ ગેરકાયદેસર દીવાલ દૂર કરવા સામાજિક કાર્યકરોએ લેખિત...

મોરબી મચ્છુ નદીમાં ઊભી કરેલ ગેરકાયદેસર દીવાલ દૂર કરવા સામાજિક કાર્યકરોએ લેખિત રજૂઆત કરી

મોરબીના સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને પત્ર લખી સ્વામિનારાયણ સસ્થા અંતર્ગત BAPS મંદિર ના સંચાલકો દ્રારા મચ્છુ નદીના પાણીનો અવરોધ બને એવી રીતે બાંધવામાં આવેલ ગેરકાયદેસર દિવાલના દબાણ ને હટાવવા માંગ કરાઇ છે. ત્યારે સમાજિક કાર્યકર્તાઓએ સવાલ કરતા કહ્યું છે કે મોરબીને શું હોનારતમાં ડુબાડવા માગે છે. તેમજ માથે ચોમાસુ આવી રહ્યું છે તેથી અરજીને ઘ્યાનમાં લઇને તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા વગેરેએ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત આવતું BAPS મંદિર ના સંચાલકો દ્રારા મચ્છુ નદીના પાણીને અવરોધ બને એવી રીતે આશરે ૩૦ ફુટ ઉંચી આડી દિવાલ બાંધવામાં આવી છે. જે દિવાલના કારણે મોરબીના નીચાણ વાળા વિસ્તારોમાં જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ શેરી, વણકરવાસ, ભરવાડ વાસ, બોરીચા વાસ, વજેપર જેવા તમામ નીચાણવાળા વિસ્તારમાં સમાવેશ થાય છે એવા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાવાનું જોખમ રહેલું છે અને પૂરની સ્થિતિ થાય તેવી સંભાવના છે. તેથી મંદિર દ્રારા આજે દિવાલ ઉભી કરવામાં આવી છે તે તદન ગેરકાયદેસર છે તેમજ આ અંગે મોરબીના કલેકટર દ્રારા દિવાલને તોડી પાડવાનો હુકમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. છતાં થોડો સમય આ દિવાલ તોડવાની કામગીરી દેખાવ ખાતર ચાલુ કર્યા બાદ હવે આ દિવાલને તોડવાનું કામકાજ રોકી દેવામાં આવ્યું છે અને દિવાલ હન તોડી તેમને તેમ રોકી દેવામાં આવી છે. કલેકટર હુકમ છે મોરબી મહાનગરપાલિકા દરેક વસ્તુમાં નીતિનિયમથી ચાલે છે કોઈને પોતાની દુકાની બહાર નાનું પગથિયું પણ બહાર કાઢવા દેતી નથી અને તે તોડી પાડવામાં આવે છે તો ત્યારે પ્રશ્નો પછી થઈ રહ્યા છે કે મચ્છુ નદીની વચ્ચોવચ બનેલી આ દિવાલ શું મહાનગરપાલિકાને દેખાતી નથી ? શું આ નિયમ વિરોધમાં નથી ? શું કમિશનર ધ્યાનમાં નથી આવતું ? આમાં કંઈ પણ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેકટર અને ધારાસભ્યની રહેશે. અહી માત્ર મંદિર માટે પરમિશન આપવામાં આવી હતી. પરંતુ ગેરકાયદેસર બાંધકામો પણ કરવામાં આવ્યા છે. અને બિલ્ડિંગ નીચે ભોંયરા પર બનાવવામાં આવ્યા છે. જેની તપાસ કરવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી છે. ત્યારે મોરબીમાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા હજારો લોકોને જાનનું જોખમ વર્તાય રહ્યું છે. ત્યારે ૧૯૭૯ જેવી મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેથી મ્યુનિસપિલ કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!