Monday, July 21, 2025
HomeGujaratમોરબીનાં મહેન્દ્રનગર ગામે એસટી બસનાં પ્રશ્નને લઈ વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: ડેપો મેનેજરે...

મોરબીનાં મહેન્દ્રનગર ગામે એસટી બસનાં પ્રશ્નને લઈ વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: ડેપો મેનેજરે રૂબરૂ આવી ખાતરી આપી

સૌરાષ્ટ્રમાં મોરબી બાદ હવે મહેન્દ્રનગર ગામે પણ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામનાં વિદ્યાર્થીઓએ બસ સ્ટોપ હોવા છતા બસ ઉભી નહીં રાખતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. જો કે, અંતે ડેપો મેનેજરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. બસ સ્ટોપ હોવા છતા બસ ઉભી નહીં રાખતા હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. અને ગામના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા રસ્તા પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે બસ સ્ટોપ મામલે વિધાર્થીઓએ ચક્કાજામકરતા વાહનોની કતારો લાગી હતી અને અંતે ડેપો મેનેજરે સ્થળ પર રૂબરૂ આવવું પડયું હતું. અને સ્થળ પર વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!