Wednesday, February 26, 2025
HomeGujaratટંકારાની મોટા ખીજડિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

ટંકારાની મોટા ખીજડિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઇ છે જેમાં સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત થતા રાજપૂત સમાજ અને કરણી સેના-મોરબી જિલ્લા ટીમના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓએ આંગણે ટકોરો માર્યો છે તેવા સંજોગો વચ્ચે ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામના અગ્રણીઓઓ એક સંપ થઈ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી છે. જેમાં સરપંચ પદે રાજપૂત સમાજના અગ્રણી જુવાનસિંહ ઝાલાના પત્ની નયનાબાના નામની જાહેરાત કરવામાં આવી છે. જુવાનસિંહ ઝાલાનાની ગામના વિકાસ પ્રત્યેની જાગૃતતાને જોઈ ગામના મોભીઓ અને અગ્રણીઓએ નયનાબા ઝાલાને સરપંચ પદે આરૂઢ કર્યા છે. જુવાનસિંહ ઝાલા મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના મોટા ભાઈ છે. આ બિન હરીફ વરણીને રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના-મોરબી જિલ્લા ટીમના અગ્રણીઓએ વધાવી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!