Saturday, March 15, 2025
HomeGujaratમોરબીમાં અસામાજિક તત્વોનો આતંક : માર્કેટીંગ યાર્ડની એક દુકાનમાં કરી તોડફોડ

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક : માર્કેટીંગ યાર્ડની એક દુકાનમાં કરી તોડફોડ

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે. જેમાં પાંચ જેટલા ઈસમોએ યુવકને ફોનમાં ગાળો ભાંડી તેની ઓફિસે જય તોડફોડ કરી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં પંચાસર રોડ નાનીકેનાલ રોડ શીવપાર્ક ઉપાસના પેલેસ બ્લોકનં.૨૦૨ ખાતે રહેતા અને ર્કેટીંગયાર્ડ દુકાન નં.બી-૧૫ ’’રાજવી’’માં ભરતભાઇની ઓફીસમા કામ કરતા મિલનભાઇ પ્રાણજીવનભાઇ કકાસણીયા ગઈકાલે બપોરના સમયે ઓફિસે હોય ત્યારે રોહીતભાઇ ભરવાડને ભરતભાઇ સાથે કોઇ બાબતની વાતચીત થતી ન હોય જેથી તેણે ફરિયાદીને ફોન કરી ગાળો બોલી તથા ભોલુ જારીયા તથા અજાણ્યા ત્રણ માણસોએ ફરિયાદીની ઓફીસે આવી ગાળો બોલી ખુરશી, સાવરણી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!