Friday, June 13, 2025
HomeGujaratમાળીયા મીયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સખ્ત...

માળીયા મીયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઈ

માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન ૨૦૨૩ માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કે તેની સગીરવયની દીકરી સાથે આરોપીએ શરીર સબંધ બાંધી પાંચથી છ માસનો ગર્ભ રાખી દીધો હતો. જે કેસમાં મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટે આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/-નો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના માળીયા મીયાણાના ફરિયાદી દ્વારા જૂન ૨૦૨૩ માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે તેની સગીરવયની દીકરીને આરોપી જસમત ગોવિંદભાઈ સિતાપરાએ ૧૫/૦૬/૨૦૨૨ થી ૧૮/૦૬/૨૦૨૩ સુધીમાં અવાર નવાર ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં શરીર સંબંધ બાંધી પાંચ છ માસનો ગર્ભ રાખી દીધો હતો.તેથી દીકરી સગીરવયની હોવાથી આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.જે કેસ મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજ સાહેબની કાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ મોરબી સમક્ષ ચાલી જતાં ફરિયાદી તરફથી સરકારી વકીલ એસ.સી.દવે અને એન. ડી. કારીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી મૌખિક ૧૧ અને લેખીત ૨૬ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.જે બંને પક્ષની દલીલો સાંભળી અને પુરાવાને ધ્યાને લઈ આરોપી જસમતભાઈ ગોવિંદભાઈ સીતાપરાને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬ (૨)(જે) (એન) ની સાથે જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ,૨૦૧૨ની કલમ-૫(એલ), ૬ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/-નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૪૨૭ અન્વયે આરોપીને કરવામાં આવેલ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરાયો છે. વધુમાં ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના મુજબ અપીલ પીરીયડ બાદ ભોગબનનારને રૂા. ૪,૦૦,૦૦૦/-+ આરોપી જે દંડની રકમ રૂા. ૧૦,૦૦૦/- ભરે તે મળી કુલ રૂા. ૪,૧૦,૦૦૦/- વળતર પેટે (આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો રૂ।. ૪,૦૦,૦૦૦/-વળતર પેટે મેળવવા હકકદાર ગણાશે.) જે ચુકવી આપવા હુકમ કરવામાં આવે છે. જે વળતરની રકમ ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય, મોરબીને હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાતની ભોગબનનારને વળતર માટેની યોજના, ૨૦૧૯ ના નિયમોના નિયમ-૧૧(૩) અનુસાર, ભોગબનનારને ઉપરોકત ચુકવવાપાત્ર વળતરની રકમ ભોગ બનનારના નામે એકાઉન્ટ પેઈ ચેકથી નિયમોનુસાર ચુકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!