Monday, October 7, 2024
HomeGujaratમોરબીમાં માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ ધામધૂમથી ઉજવાયો

મોરબીમાં માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ ધામધૂમથી ઉજવાયો

દરેક સમાજ ને પોતાની એક આગવી ઓળખ અને ઇતિહાસ હોય છે. માહેશ્વરી સમાજ માટે પણ મહેશ નવમીનું તેમના સમાજના ઉત્પતિ દિવસ તરીકે આગવું મહત્વ સદીઓથી મનાય છે. મહેશ નવમીની સમગ્ર વિશ્વભરમાં રહેતા માહેશ્વરી સમાજ દ્વારા આગવી રીતે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત તારીખ 15 જૂન 2024 શનિવારના રોજ મોરબી ખાતે પણ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ ધામધૂમથી ઉજવાયો હતો.

- Advertisement -
- Advertisement -

ગત તારીખ 15 જૂન 2024 શનિવારના રોજ માહેશ્વરી સમાજનો ઉત્પતિ દિવસ એટલે કે મહેશ નવમીની માહેશ્વરી પ્રગતિ મંડળ – મોરબી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહેશના વંશ એટલે કે માહેશ્વરી સમાજનો 5157 વર્ષ પૂર્વ ભગવાન મહેશના હસ્તે સ્થાપના થઈ હતી. આખી દુનિયામાં વસતા માહેશ્વરી આ ઉત્સવને ખુબજ અલગ અને અનોખી અંદાજથી ઉજવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, ઠંડુ શરબત/છાશ વિતરણ, વૃક્ષારોપણ, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં સેવા જેવી અલગ અલગ પ્રવત્તિયો કરવામાં આવે છે. ભારત વર્ષના જીડીપીમાં સૌથી મોટા ફાળામાં માહેશ્વરી સમાજનો સમાવેશ થાય છે. સેવા, ત્યાગ અને સદાચારએ આ સમાજના મૂળ આધાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!