મોરબી: વાંકાનેર નજીક ઢુવા ચોકડી પાસે રાણેકપર બાજુ આવેલા તળાવમાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવ અંગેની જાણ થતાં મોરબી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી બોડી બહાર કાઢી હતી. બાદમાં બોડીને વધુ કાર્યવાહી માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર પોલીસ ટીમને સોંપવામાં આવી છે. હાલ સુધી મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી સામે આવી નથી અને પોલીસે ઓળખ મેળવવા તથા મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.









