Friday, June 6, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના પાંચ બનાવમાં છ વ્યક્તિના મોત નિપજ્યા હતા, હાલ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં, મોરબી શહેરના પંચાસર રોડ નજીક નાની કેનાલ રોડ ઉપર રહેતા નીતીનભાઇ નરશીભાઇ મોરડીયા ઉવ.૪૧ વાળાને આઠેક મહીના પહેલા મગજનુ ઓપરેશન કરાવેલ બાદ ગઇ તા.૨૭ મે ના બેભાન થઇ જતા પ્રથમ સારવાર સીનર્જી હોસ્પીટલ રાજકોટ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમા તા.૨૭ મે ૨૦૨૫ના બેભાન હાલતમા સારવારમા લાવતા, તેઓને ઇમરજન્સી વોર્ડમા દાખલ કરેલ હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમ્યાન તા.૦૨/૦૬ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકી પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી અ.મોતની નોંધ કરી છે.

જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી માહિતી મુજબ, જુની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં કોઈ કારણોસર પડી ગયેલ જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇ દલસુખરાય ખંભાતી ઉવ-૪૫ રહે-હવેલી શેરી ગ્રીન ચોક મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગેની તપાસમાં તાલુકા પોલીસે મૃતકના કુટુંબી પરમાનંદ માણેકલાલ ખંભાતી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.

ત્રીજા અપમૃત્યુની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કારખાનામાં પાત્ર ઉપર કામ કરતી વેળા નીચે પટકાયેલ બે શર્મિકોના મૃત્યુ નિપજ્યા હતા, ઘટના અંગે વિગતવાર માહિતી મુજબ ગઈ તા.૦૪ જુનના રોજ મૃતક કિશોરભાઇ કાંતિભાઇ અદગામા ઉવ.૪૦ રહે-ત્રાજપર કેદાર પેટ્રોલપંપ મોરબી તથા મૃતક દિનેશભાઇ સોમાભાઇ વરાણીયા ઉવ.૪૫ રહે-મોરબી ત્રાજપરવાળા રફાળેશ્વર જીઆઇડીસી જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા ઉપર કામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર પતરા ઉપરથી બન્ને જણા નીચે પડતાં બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ UHC બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે.

અપમૃત્યુના ચોથા બનાવ અંગે મળતી વિગતો મુજબ, નૈનાબેન દિનેશભાઇ ચોહાણ ઉવ.૩૨ રહે-રવાપર નદી તા.જી.મોરબી વાળાએ ગઈકાલ તા. ૦૪/૦૬ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેના પતિ દિનેશભાઇ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, હાલ પોલીસ તપાસમાં મરણજનારનો લગ્નનો સમય ગાળો દશેક વર્ષનો હોવાનું સામે આવ્યું છે, ત્યારે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે.

આ ઉપરાંત, અપમૃત્યુના પાંચમા બનાવ અંગે ૪૦ વર્ષીય ભરતભાઇ લક્ષ્મણભાઇ સોલંકી રહે.ઇન્દીરાનગર મોરબી-૨ વાળા ગઈકાલ તા.૦૪/૦૬ ના રોજ માળીયા(મી)ના ખીરઇ ગામે પાણીની કેનાલમા કોઇપણ કારણોસર પડી જતા પાણીમા ડુબી જતા ભરાતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. તેની ડેડબોડી અત્રેની માળીયા(મી) હોસ્પીટલમા મુકેશભાઇ સાગઠીયા મો.૭૦૪૬૪૮૬૬૫૮ વાળા લાવેલ હતા, ત્યારે માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!