Sunday, September 8, 2024
HomeGujaratમોરબી તાલુકાના ચાચાપર ગામેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબી તાલુકાના ચાચાપર ગામેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

મોરબી જિલ્લામાં હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે મોરબી તાલુકાના ચાચાપર ગામે વોકળામાંથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ચાચાપર ગામે વોકળામાંથી રાજન મિશ્રા નામના ૨૫ વર્ષીય શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ગળેટૂંપો આપી હત્યા કરાયાની આશંકા હાલ પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે અને આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે . આ બનાવની જાણ થતા જ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા,એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!