Tuesday, October 22, 2024
HomeGujaratમોરબીની જનની હોસ્પિટલમાં પ્રસૃતી માટે દાખલ થયેલ પરિણીતાનું મોત:મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે...

મોરબીની જનની હોસ્પિટલમાં પ્રસૃતી માટે દાખલ થયેલ પરિણીતાનું મોત:મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો

મોરબીના છાત્રાલય રોડ ઉપર ધર્મવિજય રેસિડેન્સી ક્રિષ્ના પેલેસમાં રહેતા સોનલબેન કિશનભાઈ કવાડીયા ઉવ.૨૮ ગઈકાલે તા.૨૧/૧૦ ના રોજ મોરબીની જનની હોસ્પિટલમાં પ્રસૃતી સબબ દાખલ થયા હતા, ત્યારે પ્રસૃતી દરમિયાન કોઈ કારણોસર સોનલબેનનું મૃત્યુ નીપજ્યુ હતું.જે બનાવની પ્રાથમિક વિગતો અનુસાર મૃતક સોનલબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા જે મુજબની વિગતો મૃતકના પતિ કિશનભાઈ નગીનભાઈ કવાડીયાએ પોલીસ સમક્ષ આપી હતી,હાલ પોલીસે બનાવની નોંધ કરી મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!