Monday, June 30, 2025
HomeGujaratટંકારામાં ઓવરબ્રિજનું નાળું આરસીસીથી મઢાયું:અંતે પાલિકા જાગી

ટંકારામાં ઓવરબ્રિજનું નાળું આરસીસીથી મઢાયું:અંતે પાલિકા જાગી

સાત વર્ષથી રોડ વિભાગ મગરની જાડી ચામડી માફક અલ્લા દલ્લા ફેકયા બાદ અંતે નગરપાલિકા જાગી

- Advertisement -
- Advertisement -

ટંકારા શહેરમાં ઓવરબ્રિજનું નાળું હવે સિમેન્ટ રોડથી મઢવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સરળ અને સલામત બનશે. આ પ્રોજેક્ટ સ્થાનિક પ્રશાસન નગરપાલિકાના સહયોગથી પૂર્ણ થયો છે. રાજકિય અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી અને ભાવેન સેજપાલે દુવિધા અંગે લગત તંત્રને તાકીદે કામ કરવા સુચના અપાયા બાદ સિમેન્ટ રોડ બનાવાયો છે.

આ નાળું, જે અગાઉ કાચા રસ્તા અને ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરતું હતું, તે હવે ટકાઉ અને મજબૂત સિમેન્ટ રોડથી બનાવવામાં આવ્યું છે. આ નવું બાંધકામ વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પણ ઘટાડશે, જેનાથી રસ્તાની ટકાઉપણું અને સલામતીમાં વધારો થશે. ટંકારાના ઉચ્ચ અધિકારીઓ આ સમસ્યા અંગે રાજકોટ મોરબી રોડની દેખરેખ રાખનાર જાડી ચામડીના નકટા અને નકારાત્મક બાંસિદાને ઢગલાબંધ સુચના આપી હતી છતાં તમામ સુચના ગટગટાવી પેટ ફાટે એમ સાતેક વર્ષ સુધી સમસ્યા આખરે નગર પાલિકા એ ધ્યાનમાં રાખીને હલ કરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!