Tuesday, May 14, 2024
HomeGujaratમોરબીનાં વાવડી રોડ પાસે આવેલ પાણીના વોકળામા ન્હાવા પાસેલ કિશોરનું ડૂબી જતા...

મોરબીનાં વાવડી રોડ પાસે આવેલ પાણીના વોકળામા ન્હાવા પાસેલ કિશોરનું ડૂબી જતા મોત

મોરબીના સુમતીનાથ સોસાયટી વાવડી રોડ ખાતે રહેતો માહીરભાઇ  અતુલભાઇ ટીકળીયા નામનો ૧૫ વર્ષીય કિશોર ગઈકાલે સાંજના સમયે  મોરબીનાં વાવડી રોડ પાસે સતનામ ગૌશાળા પાછળ આવેલ પાણીના વોકળામા ન્હાવા માટે ગયેલ હતો. ત્યારે અગમ્ય કારણોસર તેનો પાણીમાં ગરકાવ થઇ જતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે સ્થાનિકોએ યુવકને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મૃતકના પિતા અતુલભાઇ સુરેશભાઇ ટીકળીયા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરાવવાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!