Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં બે લોકોના અકાળે મોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા

મોરબીમાં એક જ દિવસમાં બે લોકોના અકાળે મોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા

મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે વધુ બે અકાળે મોતના બનાવો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જેમાં એક યુવકનું ગળેફાંસો ખાઈ લેતા તો એક આધેડનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં ભાટીયા સોસા. ભુતનાથ મંદીરની બાજુમાં રહેતા અજયભાઇ ભરતભાઇ ખાંડેખા નામના યુવકે ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ જતા તેને કુટુબી ભાઇ પ્રકાશભાઇ પંડ્યા દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજતા ફરજ પરનાં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

બીજા બનાવમાં, મોરબીનાં શ્રી કૃષ્ણ ટ્રાન્સપોર્ટ ટીંબડી પાટીયા ખાતે રહેતા ભુવનેશવર તેલૈયા નામના આધેડ ગઈકાલે ટીંબડી પાટીયા અશોક બે બેન્ડ સર્વિંસ સેંટર ગેરેજના પાછળના ભાગે કોઈ કારણસર બેભાન થઈ જતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!