૪૫ વર્ષીય દર્દી જેને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો દર્દી ને જન્મજાત પોલીયો હતો અગાઉ બે સિઝેરિયન ડિલીવરી થયેલ છે ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી અને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ હતા.ત્યાં સોનોગ્રાફી રીપોર્ટ કરાવતા સામે આવ્યુ કે દર્દીને કોથળીમાં ગાંઠ છે જેની અંદાજીત સાઈઝ 12*10 CM હતી ત્યારબાદ આયુષ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં ડૉ.અદિતિ ઝાલાવાડિયા દ્વારા સ્પાઈનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું.આયુષ હોસ્પિટલના ગાઇનેક ડોક્ટરો ડૉ મિલન શિંગાળા , ડૉ રેશ્મા કાપડિયા અને ડૉ ભાવના જોશી દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને 1 કિલો 900 ગ્રામ વજનની ગાંઠ કાઢી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું નથી.હાલમાં દર્દી સ્વસ્થ છે દર્દી અને તેના પરિવાર દ્વારા આયુષ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો