Wednesday, May 15, 2024
HomeGujaratવાંકાનેરવાસીઓએ પારંપરિક રીતે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાને નવા વર્ષની શુભકામના પાઠવી

વાંકાનેરવાસીઓએ પારંપરિક રીતે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાને નવા વર્ષની શુભકામના પાઠવી

નવી આશાઓ, ઉમંગ અને અરમાનો સાથે ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૮૦નો મંગલમય પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગઈકાલે વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ખાતે પ્રજા વત્સલ રાજવી નામદાર મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલાને નવા વરસની હાર્દિક શુભકામના ઓ આપવા વાંકાનેર શહેર તેમજ તાલુકાના તમામ લોકોએ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સંતો મહંતો તેમજ લોકોએ રણજીત વિલાસ પેલેસ ખાતે મળવા તેમજ નવા વર્ષના રામ રામ કરવા માટે લોકો એ હાજરી આપી હતી, તેમજ સંતો મહંતો દ્વારા મંત્રોચ્ચારથી તેમજ તિલક કરી હાર પહેરાવી નવા વર્ષની શુભકામના આપવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ સર્વે લોંકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!