Tuesday, October 7, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલનું મહાનુભાવોના હસ્તે કરાયું લોકાર્પણ : વિશાળ...

મોરબીના મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલનું મહાનુભાવોના હસ્તે કરાયું લોકાર્પણ : વિશાળ સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

વિજ્યા દશમીના અવસરે મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલની લોકાર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે નકલંગ મંદિર બગથળાના મહંત દામજી ભગત અને રામધન આશ્રમ મહેન્દ્રનગરના ભાવેશ્વરીબેનના હસ્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મહેન્દ્રનગરના મોક્ષધામમાં હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી તેમના પુત્ર જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી “પ્રાર્થના હોલ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. જોઈ આજે તા.૦૨/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ વિજયાદશમીના દિવસે લોકાર્પણ વિધિ યોજાઈ હતી. 

જેમાં મહંત દામજીભગત-નકલંકધામ બગથાળા તથા મહંત ભાવેશ્વરીબેન – રામધન આશ્રમ મહેન્દ્રનગરના વરદ હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરી હતી. તેમજ જીજ્ઞેશભાઈ કૈલાના રૂ.૧૭,૫૧,૦૦૦/-ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરમાં આધુનિક “પ્રાર્થના હોલ”ના લોકાર્પણથી ગ્રામજનોએ ખુશીઓની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!