Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીના વિજય ટોકીઝ થી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રસ્તો ૩૦ દિવસ સુધી...

મોરબીના વિજય ટોકીઝ થી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રસ્તો ૩૦ દિવસ સુધી તમામ વાહનોની અવર જવર માટે બંધ

મોરબીના વિજય ટોકીઝ થી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રસ્તો ૭૦ મીટર સીસીનો રોડ બનાવવાનો હોવાથી ૩૦ દિવસ સુધી અથવા જેટલા દિવસ કામ ચાલે તેટલા દિવસ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. જેનું જાહેરનામુ મોરબી મ્યુનિસિપલ કમીશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વિજય ટોકીઝ થી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી અંદાજીત ૭૦ મીટર સી.સી.રોડનું કામ તા.૨૫/૦૬/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. જે કામ ચાલુ કર્યા તારીખથી ૩૦ દિવસ માટે અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. જે રસ્તા પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોએ અવરજવર કરવા માટે વિજય ટોકીઝ થી જુના બસ સ્ટેશન અને તખ્તસિંહજી રોડનો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે તેમ મોરબી મહાનગર પાલિકાના કમીશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!