Tuesday, April 23, 2024
HomeGujaratધાંગધ્રા થી દ્વારકા પગપાળા નીકળેલ ભરવાડ સમાજ નો સંઘ હળવદ પહોંચ્યો

ધાંગધ્રા થી દ્વારકા પગપાળા નીકળેલ ભરવાડ સમાજ નો સંઘ હળવદ પહોંચ્યો

ધાંગધ્રાના મચ્છુ યુવા ગ્રુપ દ્વારા કરાયું છે આયોજન: આઠ તારીખે સંઘ દ્વારકા પહોંચી દ્વારકાધીશ ને ધજા ચઢાવશે

- Advertisement -
- Advertisement -

હળવદ: ધાંગધ્રા ખાતે આવેલ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ધાંગધ્રા થી દ્વારકા સુધી પગપાળા સંઘનું આયોજન કરવામા આવી રહ્યું છે ત્યારે ઓણસાલ ત્રીજા વર્ષે પણ આ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા દ્વારકા સુધીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંઘ આજે સવારના ધાંગધ્રા ખાતે આવેલ રેલવે સ્ટેશનથી રવાના થયો હતો જે આજે મોડી સાંજે હળવદ પહોંચ્યો છે અને આઠ તારીખે દ્વારકા પહોંચી ભગવાન દ્વારકાધીશને ધજા ચઢાવશે.

ધાંગધ્રા ખાતે આવેલ મચ્છુ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ભરવાડ સમાજનો દ્વારકા સુધીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે જે આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને આજે ધાંગધ્રા ખાતે આવેલ રેલવે સ્ટેશન થી દ્વારકા જવા પગપાળા સંઘ રંગેચંગે રવાના થયો હતો આ પગપાળા સંઘમાં ભરવાડ સમાજના ૧૫૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે આજે દ્વારકા જવા રવાના થયેલ સંઘ આઠ તારીખે દ્વારકામાં પહોચશે અને ભગવાન દ્વારકાધીશને ધજા ચઢાવશે તેમ ગોવિંદભાઈ ગમારા અને સતિષભાઈ રાણગા એ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!