Monday, December 15, 2025
HomeGujaratમોરબીના પીપળી રોડ પરથી વેપારીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ત્રણ આરોપી...

મોરબીના પીપળી રોડ પરથી વેપારીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ત્રણ આરોપી ઝડપાયા

મોરબીના પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમાં વેપારીનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર કાર સહિત રૂ.૧૦.૪૦ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, તા.૧૩/૧૨ના રોજ મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળેલી કે મોરબી તાલુકાના જેતપર રોડ પર એ.બી.સી. સિરામિક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી લઈ જવામાં આવ્યા છે. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમોએ નાકાબંધી કરી મોરબી-કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાળા રંગની ફોર્ચ્યુનર કાર રજી.નં. જીજે-૦૩-એફડી-૭૯૯૭ આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી ભોગ બનનાર વેપારી અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરસિંઘ સોઢા રહે. મોરબી વાળા મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે ભોગ બનનારના ભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી કરવા બાબતે આરોપીઓએ ઝપાઝપી કરી બળજબરીથી અપહરણ કર્યું હતું. આ ઘટનામાં આરોપી નવઘણભાઈ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા, ભગીરથભાઈ રતીલાલભાઈ ઠોરીયા અને પિયુષભાઈ હસમુખભાઈ લોરીયાને ઝડપી લઈ ફોર્ચ્યુનર કાર તથા ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૦.૪૦ લાખનો મુદામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!