Wednesday, June 18, 2025
HomeGujaratમોરબીના મચ્છુ ૩ ડેમમાં ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલાયા;૧૩,૪૨૫ ક્યુસેક પ્રવાહથી પાણી...

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલાયા;૧૩,૪૨૫ ક્યુસેક પ્રવાહથી પાણી છોડવાનું શરૂ:મોરબી અને માળિયાના ૨૧ ગામોને એલર્ટ અપાયું

મોરબી પંથકમાં ઉપર વાસમાં ભારે વરસાદ થવા પામ્યો છે. જેના કારણે મોરબીના મચ્છુ ૩ ડેમમાં ૧૩૪૨૫ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે મચ્છુ ૩ ડેમમાં ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલી ૧૩૪૨૫ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવશે. જેના પગલે મોરબી અને માળીયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેથી મોરબીના મચ્છુ ૩ ડેમના કુલ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ ૩ ડેમમાં ૧૩,૪૨૫ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. હાલ ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવતા ૧૩,૪૨૫ ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. ત્યારે પાણી છોડતા હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ એવા માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળીયા મિયાણા, હરિપર અને ફતેપર ગામને એલર્ટ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!