Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યાનું પોલીસ ચોપડે નોંધાયું

મોરબી જિલ્લામાં ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યાનું પોલીસ ચોપડે નોંધાયું

મોરબીમાં આપઘાત અને અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેરમાં પરશુરામ સોસાયટી સ્ટેશન રોડ પટેલ વાડીની સામે રહેતા બાલામુરલી રવીકુમાર ક્રિષ્ણમુર્તી નામના યુવકને સાંઇ બાબા રોડલાઇન્સ જડેશ્વર ચેમ્બર્સ, આશિર્વાદ પેટ્રોલ પંપની બાજુમા વાંકાનેર ખાતે તેઓની ઓફીસમાં તેઓને હાર્ટએટેક આવતા યુવકને સૌ પ્રથમ ડો.ધરોડીયાની હોસ્પીટલ વાંકાનેર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ ગયેલાનુ જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબી તાલુકાનાં કોયો સીરામીક ખારખાનાના લેબર ક્વાર્ટરમા રંગપર ગામની સીમમાં રહેતા સંજયભાઇ તેજારામ નાયકે ગત રોજ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ જતા તેના ભાઇ સુનિલભાઇ તેજારામભાઇ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, મોરબીમાં લેમીસ્ટોન સીરામીક લેબર કવાટરમાં સાપર ગામની સીમ પાવડીયારી પાસે રહેતા કાર્તીક ગુડાભાઇ હઠીલા નામનો ૭ વર્ષનો બાળક ગત તા-૧૩/૦૪/૨૦૨૩ ના બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે લેમીસ્ટોન સીરામીક લેબર કવાટર પાસે રમતો હોઇ ત્યારે ત્યા ડીઝલ વાળી બોટલમાં પાણી ભરેલ પડેલ હોઇ જે બોટલમાંથી અજાણતા (ભુલથી) પાણી પી લેતા ઉલટી થતા પ્રાથમીક સારવાર માટે મોરબી સમર્પણ હોસ્પિટલમા સારવારમા લઇ જતા ત્યાંથી વધુ સારવાર માટે આજરોજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા દાખલ થતા તેને તપાસી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!