Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં કોરોના ના આજે ૧૧ પોઝીટીવ કેસ આવ્યા જ્યારે ૨૭ લોકો સ્વસ્થ...

મોરબીમાં કોરોના ના આજે ૧૧ પોઝીટીવ કેસ આવ્યા જ્યારે ૨૭ લોકો સ્વસ્થ થયા

મોરબીમાં આજે ગઈકાલની સરખામણીએ કેસમાં વધારો થયો છે. અને છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જયારે 27 દર્દીઓ કોરોનાને હરાવી દેતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 158 એ પહોંચી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં કોરોનાના 11 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 08 જયારે શહેરી વિસ્તારમાં 02 મળી તાલુકામાં 10 અને માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 01 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે મોરબીના 23, ટંકારાના 02 અને માળીયાના 02 દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 158 પર પહોંચ્યો છે. અને તંત્ર દ્વારા આ અંકમાં વધુ વધારો ન થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!