Friday, June 27, 2025
HomeGujaratરાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ પ્રમોદરાય દવે (રાજુભાઈ) નો...

રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ પ્રમોદરાય દવે (રાજુભાઈ) નો આજે ૬૮મો જન્મદિવસ

રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકા ના પૂર્વ કાર્યવાહ રાજેન્દ્રભાઈ નો આજે 68 મો જન્મદિવસ છે તેઓ પોતાના જીવન ના 67 વર્ષ પૂર્ણ કરી 68 માં વર્ષ માં આજરોજ મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેઓ નાનપણ થી નૈતિકતા – ઉદારતા-પરિવાર ભાવના-વડીલો ની સેવા – રાષ્ટ્રભક્તિ જેવા અનેક સંસ્કારો થી તેમનું જીવન ભરેલું છે નાનપણ થી જ ઘર ની જવાબદારી અને ખેતીકામ થી લઈ અનેક વ્યવસાય માં કાળી મજૂરી કરી સંઘર્ષમય જીવન જીવી પરિવાર ની સાથે રાષ્ટ્ર સેવા ના કાર્યો માં પણ અવિરત પોતાનું યોગદાન આપતા આવ્યા છે અને એક આદર્શ જીવન તેઓ જીવી રહ્યા છે પોતે પણ નાનપણ થી સંઘ ના સ્વયંસેવક તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક … તૃતીય વર્ષ હાલ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે નાગપુર ખાતે કર્યું જ્યાં તેઓ 20 દિવસ સાથે રહ્યા હતા.પીએમ મોદી ને મળવાનું થાય ત્યારે નામજોગ બોલાવે.ઘણા વર્ષો સુધી સંઘ શિક્ષા વર્ગ માં શિક્ષક તરીકે સેવા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સંઘ માં પણ વિવિધ જવાબદારી સંભાળી અને હાલ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્ઠાન સંસ્થા માં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપે છે.મચ્છુ જળ હોનારત વખતે એક અઠવાડિયું મોરબી ખાતે સેવા માં ખડેપગે રહ્યા હતા અને હોનારત માં મૃત્યુ પામેલા અનેક દિવંગત ના અગ્નિસંસ્કાર થી લઈ સ્વચ્છતા કાર્ય માં જોડાયા હતા ત્યારે કોઈ પણ કટોકટી ના સમયે પોતે પોતાનું અમૂલ્ય યોગદાન આપતા આવ્યા છે પોતે અડગ મન ધરાવે છે જે કાર્ય ધારે તે પૂરૂ કરે છૂટકો.યુવાનો ને શરમાવે તેવી સ્ફૂર્તિ અને સ્વસ્થતા પ્રભુકૃપા થી કાયમ છે અત્રે ઉલ્લેખનીય કે હળવદ માં સેવા ના ભેખધારી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે જેવા પુત્ર ને જન્મ આપી તેમના માં રાષ્ટ્રભક્તિ અને સેવા ના સંસ્કારો નું સિંચન કર્યું છે આજે તેઓના જન્મદિવસ નિમિતે સ્નેહીજનો રાજેન્દ્રભાઈ ને તેમના મોબાઈલ નંબર 9016461000 પર શુભકામનાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!