મોરબીના શકત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ સવાભાઈ કનાણીના ૮ વર્ષીય પુત્ર અમિત ગઈકાલે તા.૦૩/૦૬ ના રોજ બપોરના અરસામાં શકત શનાળા ગામ ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયો હતો, જ્યાં પાણીમાં ડૂબી જતાં તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી અમિતને મૃત જાહેર કર્યો હતો, ત્યારે માસુમના મૃત્યુ અંગે શનાળા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી, હાલ એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.