Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમાં ગઈકાલે બે લોકોના અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા જેમાં વાંકાનેર ખાતે એક શખ્સનું કરંટ લાગતા તો મોરબી શહેર ખાતે એક શખ્સનું ઘોડા બાંધવાના વાડે કોઇ અગમ્ય કારણો સર મોત નિપજયૂ હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેરના એસ્કોન સીરામીક લેબર કોલોની માટેલ રોડ ખાતે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના પ્રદીપકુમાર વેદરામસિંહ નાયકને ગઈકાલે કોઇ પણ કારણોસર માટેલ રોડ એકવા પ્રોડકટ કારખાના પાસે રોડ પર આવેલ ૧૧ કેવી ઇલેક્ટ્રીક ટીસી વીજપોલ પર ચડી જતા ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જેના કારણે શરીરે દાઝી જતા તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં મોરબી-૨ સો ઓરડી ભગવતી લેથ વાળાના મકાનમા ભાડેથી રહેતા ચેતનભાઇ રમેશભાઇ ચાવડા નામના યુવકનું ગઈકાલે તેની રહેણાંક ઓરડી ખાતે તેના પોતાના ઘોડા બાંધવાના વાડે કોઇ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જેના કારણે તેની લાશને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે બનાવની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!