Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં પત્ની માવતરે ચાલી જતા ચિંતામાં મુકાયેલ પતિનો આપઘાત સહિત આત્મહત્યાના બે...

મોરબીમાં પત્ની માવતરે ચાલી જતા ચિંતામાં મુકાયેલ પતિનો આપઘાત સહિત આત્મહત્યાના બે બનાવો નોંધાયા

મોરબીમાં ગઈકાલે બે શખ્સોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનાં બનાવો સામે આવ્યા હતા. જેમાં પિયરે ગયેલ પત્નીની યાદમાં ટેનશનમા રહેતા પતિએ મોરબીમાં તથા અગમ્ય કારણોસર આધેડે ટંકારામાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ટંકારાનાં ધ્રુવનગર ગામ ખાતે રહેતા નીકુલભાઇ હીરજીભાઇ રાજપરા નામના યુવકની પત્નીને તેના સસરા ત્રણ મહીના પહેલા માવતરે તેડી ગયેલ હોય ત્યારથી ટેનશનમા રહેતા હોય જેથી પોતાની જાતેથી ગઈકાલે યુવકે ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ દિપકભાઇ હીરજીભાઇ રાજપરાએ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં, ટંકારાની મેઇન બજાર પાસે રહેતા જિતેન્દ્રકુમાર દેવકરણભાઇ પરમાર નામના આધેડે ગઈકાલે કોઇ પણ કારણોસર પોતાના ઘરે જાતેથી ગળે ફાંસો ખાઇ લેતા સમગ્ર મામલે આધેડના પુત્ર ચિરાગે ટંકારા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!