Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીનાં રફાળેશ્વર નજીક માલગાડીની અડફેટે આવતાં બે યુવાનોનાં મોત : બનાવનુ કારણ...

મોરબીનાં રફાળેશ્વર નજીક માલગાડીની અડફેટે આવતાં બે યુવાનોનાં મોત : બનાવનુ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

મોરબીના રફાળેશ્વર નજીક ગત રાત્રીના ટ્રેન હડફેટે આવી જતા બે યુવાનોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. ત્યારે બનાવની માહિતી મળતાં જ આસપાસના લોકો દોડી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસની ટીમ દોડી જઇને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રફાળેશ્વર નજીક માલગાડી હડફેટે આવી જતા સચિન હિતેશભાઈ ચૌહાણ (ઉ. વ.૧૭) અને મેહુલ મનસુખભાઇ મકવાણા (ઉ. વ.૧૮) નામના બે યુવકોનાં મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્ને યુવકો મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ જવાહર સોસાયટીના હોવાનું સામે આવ્યું છે. તેમજ બંને યુવકો પ્રાંતીય હોવાનું અને સારા મિત્રો હોવાનું સામે આવ્યું છે. બનાવ કઈ રીતે બન્યો તેનું કારણ હજુ અકબંધ છે. તેમજ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ અને મોરબી તાલુકા પોલીસે બન્ને વ્યક્તિની ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બે જુવાનજોધ યુવકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!