Thursday, May 8, 2025
HomeGujaratમોરબીના જીવીટી ટાઇલ્સ ઉદ્યોગકારોનું અનોખું પગલું:ભાવવધારાના શપથ લીધા.

મોરબીના જીવીટી ટાઇલ્સ ઉદ્યોગકારોનું અનોખું પગલું:ભાવવધારાના શપથ લીધા.

મોરબીમાં જીવીટી ટાઇલ્સ બનાવતા ૧૧૦ ઉદ્યોગકારોની બેઠક મળી હતી. અગાઉથી નક્કી કરાયેલા ભાવ વધારો અમલમાં મૂકાયાનાં પગલે આજે તમામ ઉદ્યોગકારોએ એકતા દર્શાવતા શપથ લીધા કે તેઓ નવા ભાવે જ માલ વેચશે અને એસોસિએશનના નિયમોનું પાલન કરશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટાઇલ્સ ઉદ્યોગમાં જીવીટી ટાઇલ્સ બનાવતા ૧૧૦ થી વધુ ઉદ્યોગકારોએ ભાવ વધારાની અમલવારી અંગે અનોખી રીતે એકબીજાની હાજરીમાં શપથ લીધા હતા.
આ બેઠક મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાની અધ્યક્ષતામાં મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, “એપ્રિલ મહિનામાં થયેલી બેઠકમાં ટાઇલ્સના ભાવમાં રૂ. ૨ પ્રતિ સ્ક્વેર ફૂટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો, જે હવે અમલમાં મૂકાઈ ગયો છે. આજે તેની બેઠકમાં ઉદ્યોગકારોએ એ નિર્ધાર કર્યો કે કોઇપણ રીતે ભાવ ઓછો નહીં થાય અને એકતા જાળવીને નવા ભાવે જ માલ વેચાશે.” તેમણે ઉમેર્યું કે, “બજારમાં ગળાકાપ હરીફાઈ સર્જાય નહીં એ માટે તમામે મળીને એવું મક્કમ નક્કી કર્યું છે કે ઉદ્યોગ માટે નિયમો બનાવનારી એસોસિએશનના દરેક નિર્મયોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.”
મોરબીના સિરામિક ઉદ્યોગમાં આ પ્રકારની સહમતી અને સંકલ્પનો દુર્લભ ઉદાહરણ જોવા મળ્યું છે. ઉદ્યોગકારો દ્વારા લેવાયેલો આ શપથ સમગ્ર ઉદ્યોગ માટે મજબૂત સંકેત આપે છે કે મોરબી ટાઇલ્સ ઈન્ડસ્ટ્રી હવે વધુ સજાગ અને સંગઠિત બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!