Thursday, September 19, 2024
HomeGujaratવ્યાજંકવાદ ચરમસીમાએ: મોરબીમાં યુવકના ગળે છરી રાખી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો...

વ્યાજંકવાદ ચરમસીમાએ: મોરબીમાં યુવકના ગળે છરી રાખી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધાયો

વ્યાજખોર સામે લાલ આંખ કરવા કાયદો હોવા છતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના બનાવ બનતા જાય છે. વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ત્યારે મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં એક યુવકના ગળે છરી રાખી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો વિરૂદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રવાપર રોડ પર નરસંગ મંદીર પાછળ મેઘાણીની વાડીમાં રહેતા નીતીનભાઇ ભગવાનજીભાઇ ડાભી નામના ૩૦ વર્ષીય યુવકે રવાપર ધુનડા રો ન્યુ એરા સ્કુલ સામે બુટાની વાડીમાં રહેતા વિમલભાઇ નટુભાઇ પરમાર તથા રવાપર ખાતે રહેતા ભોલુભાઇ જારીયા નામના શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા. જેના વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓ નીતીનભાઇ ડાભી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરતા હતા. ત્યારે થોડા દિવસો અગાઉ આરોપીઓએ નીતિનભાઈ પાસે ધસી આવી ઢીકાપાટુ નો મારામારી ભોલુભાઇ જારીયા નામના આરોપીએ નીતીનભાઇને ગળાના ભાગે છરી રાખી મૃત્યુ નિપજાવવાનો ભય દેખાડી તેમજ પટાવડે મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખરે નીતીનભાઇએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૮૭,૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!