Wednesday, September 18, 2024
HomeGujaratવાંકાનેર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કરાઈ ઉતમ વ્યવસ્થા:હજુ બે દિવસ થશે...

વાંકાનેર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કરાઈ ઉતમ વ્યવસ્થા:હજુ બે દિવસ થશે વિસર્જન

વાંકાનેર નગરપાલિકા દ્વારા જડેશ્વર મંદિર પાસે મેળાના મેદાનથી પાછળના ભાગમાં ગણપતિ બાપા ના મૂર્તિનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ 11/ 9 /2024 ના સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં ગણપતિ દાદા ની કુલ 80 કરતાં વધારે નાની મોટી મૂર્તિઓનું વિસર્જન નગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યુ હતું.

- Advertisement -
- Advertisement -

તેમજ તા. 13/09/2024 ના રોજ બપોરે 12 થી 8 વાગ્યા સુધીમાં 40 કરતા વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાંકાનેર શહેર અને તાલુકાના ધર્મપ્રેમી જનતા દ્વારા કામગીરીમાં સાથ અને સહકાર આપી સરાહનીય કામગીરી બદલ તંત્રના વખાણ કર્યા હતા.

તેમજ વધુ વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 15/09 અને 17/09 ના રોજ પણ ગણપતિ વિસર્જનની કામગીરી કરવામાં આવશે. તેના માટે વાંકાનેર નગર પાલિકા દ્વારા નાના જડેશ્વર મંદિરની બાજુમાં જવાહર નવોદય વિદ્યાલયના પાછળ અને ટંકારા નગર પાલિકા દ્વારા શીતળા માતાની ધાર પાસે કોઠારિયા ટંકારા રોડ પર વિસર્જન કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!