વાંકાનેરના ઢુવા ચોકડી વિસ્તારમાં રહેતા પરિવારની ૭ વર્ષીય બાળકીને ઝાડા અને ઉલટી થયા હતા, જેથી બેભાન થયા બાદ માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતુ.
વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી આગળ પટેલ પાન પાછળ ભુપતભાઇના રૂમમાં રહેતા મુળરહે.રાજુલા ગોકુળનગર જય માતાજી ગ્રાઉન્ડ પુજા એપાર્ટ્મેન્ટ જી.અમરેલીના વતની સંદીપભાઇ માલકુભાઇ વાળાની ૭ વર્ષીય દીકરી પરી ઉર્ફે જલકને ઝાડા-ઉલટી થયા હતા. જે બાદ તબિયત વધુ બગડતા માસુમ બાળકી બેભાન થઈ ગયા પછી તુરંત તેણીનું મૃત્યુ થયું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.









