વાંકાનેર શહેરના વીસીપરા શંકર મંદિરવાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવીણભાઈ ભવાનભાઈ રાઠોડ ઉવ.૨૦ ને તેમની માતાએ ગઈકાલ તા.૦૨/૦૬ ના રોજ ધરકામ બાબતે સવારના ઠપકો આપેલ હોય જે બાબતે માતા-પુત્રી વચ્ચે બોલાચાલી થયેલ હોય જે કારણે મરણજનારને મનમા લાગી આવતા પોતાની જાતેથી ધરના રૂમમાં ગળેફાસો લેતા તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી હેતલબેનને મૃત જાહેર કર્યા હતા, હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોતની એન્ટ્રી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે