વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં વીસનાલા નજીક કોઈ અકળ કારણોસર અજાણ્યા વૃદ્ઘે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અપમૃત્યુના બનાવ અંગેની મળતી માહિતી મુજબ, વાંકાનેરના ઢુવા ગામની સીમમાં વીસનાલા પાસે આવેલ ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વીડમાં બાવળની કાંટમાં એક અજાણ્યો પુરૂષ ઉવ. આશરે ૬૦ થી ૬૫ વર્ષ વાળાએ કોઇપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે