વાંકાનેરમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં સંડોવાયેલ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાસા વોરંટ હેઠળ લાજપોર જેલ સુરત ખાતે ધકેલવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા પાસા દરખાસ્તને મંજુરી મળતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા,એ દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીનાં કે આરોપી તેના રહેણાક મકાન કાલીકા પ્લોટ, શીવ સોસાયટી, વજેપર મેન રોડ મોરબી ખાતે હાજર છે. જેથી આ આરોપીને તેના રહેણાક મકાનેથી હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી. આજે તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે.
આ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, અશ્વિનકુમાર રંગાણી,બ્રીજેશભાઈ બોરીચા, રાજેશભાઈ પલાણી,શકતિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.