Tuesday, October 15, 2024
HomeGujaratવાંકાનેર:સીરામીકની લેબર કોલોનીમાં શ્રમિકો વચ્ચે ખર્ચના રૂપિયાની લેતીદેતીનો મામલો હત્યા સુધી પહોંચ્યો

વાંકાનેર:સીરામીકની લેબર કોલોનીમાં શ્રમિકો વચ્ચે ખર્ચના રૂપિયાની લેતીદેતીનો મામલો હત્યા સુધી પહોંચ્યો

હત્યારો આરોપી યુ.પી.નો શખ્સ હત્યાને અંજામ આપી સ્થળ ઉપરથી નાસી ગયો

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સીરામીક ફેક્ટરીના લેબર કોલોનીમાં બે શ્રમિકો વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થયેલ ઝઘડામાં ખર્ચના પૈસાની માંગણી કરતા શખ્સને પાવડાના હાથા વડે માથામાં આડેધડ ઘા મારી શ્રમિક યુવકની કરપીણ હત્યા નિપજાવી હત્યારો આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

વાંકાનેર તાલુજના માટેલ ગામ નજીક સનપાર્ક સીરામીક ફેક્ટરીના લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા મુળ યુ.પી.ના વતની સંદીપ રાજેશભાઈ જોશી નામના યુવાને તેની સાથે મજુરીકામ માટે આવેલ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી રહે.બાલાબેહટ તા.પાલી(ઉ.પ્ર.) પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરેલ હોય જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં લેબર કોલોનીના પહેલા માળે આરોપી રાનુએ પાવડાના હાથા વડે સંદીપને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંદીપનું મોત થયું હતું. જે બાદ આરોપી ભાગી ગયો હોય જેથી આ મામલે મૃતક યુવાનના કૌટુંબિક ભાઇ રાહુલભાઈ જોષીની ફરિયાદ પરથી પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!