વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ ઈનડિઝાઇન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નવલસિંહ કનુભાઇ રાઠૌર ઉવ.૪૧ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના સોહનકુંડ થાના બરઝરના રહેવાસીએ ગઈકાલ તા.૨૯/૦૫ ના રોજ બપોરના સમયે રૂપિયાની આર્થિક તંગીને કારણે પોતાની ઓરડીમાં દુપટ્ટા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું, સમગ્ર મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પત્ની સરલાબેન પાસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે