વાંકાનેર તાલુકાના લુણસર ગામે નવી લીધેલ ખેતીની જમીનમાં બંધપાળાનું કામ કરાવતા ખેડૂતને પાડોશી ખેતર વાળા આવી કહેલ કે ‘અમને પૂછ્યા વગર અહીં ખોદકામ કેમ કરો છો’ તેમ કહી ખેડૂતને ગાળો આપી લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના લુણસર ગામના વતની હાલ મહેન્દ્રનગર ચોકડી નજીક પ્રભુકૃપા ટાઉનશીપ અંરૂટ હાઈટ્સ ૪૦૩ માં રહેતા રમેશચંદ્ર શંકરલાલ વસીયાણી ઉવ.૪૦ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી હીરાભાઈ સંગ્રામભાઈ ગમારા, મેરાભાઈ સામંતભાઈ ગમારા, નાનુભાઈ ધારાભાઈ ગમારા રહે.તમામ પલાસ ગામ તા.વાંકાનેર તથા એક અજાણ્યો એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, લુણસર ગામે ધોળાકુવા સીમ તરીકે ઓળખાતી સીમમાં ફરિયાદી રમેશચંદ્રએ નવી ખેતી વિષયક જમીન લીધી હોય ત્યારે તે જમીનનું લેવલિંગ અને બંધપાળાનું કામ ચાલુ હોય જેથી ફરિયાદી રમેશચંદ્ર ત્યાં હોય તે દરમિયાન તા.૧૨/૦૬ના રોજ બાજુના ખેતર વાળા ઉપરોક્ત ચારેય આરોપીઓ ત્યાં આવી, ફરિયાદીને કહેવા લાગ્યા કે આ જમીનમાં ખોદકામ કેમ કરો છો, અમને પૂછ્યા વગર ખોડજમ નહિ કરવાનું એટલે ફરિયાદીએ પોતે આ જમીન લીધી હોય અને હાલ તેનું લેવલિંગ અને બંધપાળાનું કામ કરાવતા હોવાનું અને આ માટે પણ પંચાયતમાંથી મંજૂરી લીધી હોવાનું જણાવતા, યમમ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ફરિયાદીને અપશબ્દો આપી લાકડાના ધોકા અને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, હાલ ત્યારે સમગ્ર બનાવ અંગેની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે