Wednesday, August 20, 2025
HomeGujaratવાંકાનેર: નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ

વાંકાનેર: નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ

મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં નદીના વહેણમાં ડુબી જવાથી વ્યક્તિનું મોત નિપજતા તે અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તારીખ ૧૨/૦૮ના ૧૫:૦૦ વાગ્યા આસપાસ કોઇ અજાણી વ્યક્તિનું વાંકાનેર પાસે નદીના વહેણમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક પુરૂષ ઉંમર વર્ષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ, ઘઉં વર્ણ, શરીરે મજબુત બાંધો છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નારણભાઈ લાવડીયા અથવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!