Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” કહી ત્રણ...

વાંકાનેર : “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” કહી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” તેમ કહી યુવાન અને તેના પરિવારના સભ્યોને ત્રણ શખ્સોએ માર માર્યો, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરબતભાઇ દેવજીભાઇ થોરીયા (ઉ.વ.૨૬, ધંધો કરીયાણાની દુકાન, રહે. ઘીયાવડ ગામ તા. વાંકાનેર)એ આરોપીઓ વિપુલભાઇ સવશીભાઇ વાધેલા તથા આરોપી વિપુલના માતા તેમજ આરોપી વિપુલના મોટાબાપુ અમરશીભાઇના પત્ની (રહે. ત્રણેય ઘીયાવડ ગામ તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ આરોપીએ ફરીયાદીને “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” તેમ કહી પોતાના હાથમા રહેલ ધોકા વડે ફરીયાદીને માથાના ભાગે કાન પાછળ ઘા મારી ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના માતાને ધોકા વડે માથામા ઇજા કરી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ફરીયાદીના બહેન કાજલબેનને ધારીયાનો ઉંધો ધા માથામા મારી ઇજા કરી આોપીઓએ ફરીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!