મોરબી મહાનગર પાલિકા દ્વારા મચ્છુ ૨ ડેમ ખાતે પંપ વાલનું રીપેરીંગ કામ તા. ૧૦/૦૬/૨૫ ના રોજ કરવાનું હોવાથી તા. ૧૦ જૂનથી ૧૨ જૂન ત્રણ દિવસ સુધી મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રહેશે. જેની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્રારા મચ્છુ-૨ ડેમ ખાતે પંપના વાલનું રીપેરીંગ કામ તા.૧૦/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૮:૦૦ વાગ્યાંથી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. જેથી તા.૧૦/૦૬/૨૦૨૫ થી તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ દિવસ-૩ (ત્રણ) માટે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રીતે થશે જેની જાહેર જનતાને મોરબી મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર દ્વારા મીડિયા મારફતે જાણ કરવામાં આવી છે.