Friday, June 13, 2025
HomeGujaratશા માટે હોસ્પિટલ માટે જરૂરી છે NABH પ્રમાણપત્ર? જાણો NABH પ્રમાણિત હોસ્પિટલના...

શા માટે હોસ્પિટલ માટે જરૂરી છે NABH પ્રમાણપત્ર? જાણો NABH પ્રમાણિત હોસ્પિટલના મહત્ત્વ વિશે

વર્તમાન સમયમાં દરેક વ્યવસાયમાં રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેથી સેવાની ગુણવત્તા તે પ્રમાણ પત્રને આધારે નક્કી થાય છે. ત્યારે વર્તમાન સમયમાં હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ માટે ભારત સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થા NABH (national accreditation board for hospitals and helthcare providers). જે પ્રમાણપત્ર હોસ્પિટલની ગુણવતા, દર્દી કેન્દ્રીત દૃષ્ટિકોણ, સંચાલન ક્ષમતા, સ્ટાફ માટે તાલિમ અને વિકાસ, વિશ્વનિયતા અને માન્યતા તેમજ વીમા કંપની સાથે સરળ સંકળાવ ધરાવે છે. જે સર્ટિફિકેટ દર્દીનો હોસ્પિટલ પર ભરોસો વધારે છે.

- Advertisement -
- Advertisement -

વર્તમાન સમયમાં આરોગ્ય સેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ એક અગ્રણી સંસ્થા છે – NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) છે. NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. જે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) સાથે સંકળાયેલી છે. NABH પ્રમાણપત્ર મેળવનાર હોસ્પિટલે દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાવાળી સારવાર આપે છે. NABH ધોરણો દર્દીનું સ્વાસ્થ્ય, સુરક્ષા અને સંતોષ કેન્દ્રમાં રાખે છે. NABH હૉસ્પિટલના સંચાલનમાં વ્યવસ્થિતતા અને પારદર્શિતા લાવે છે. NABH ધોરણો અનુસાર કર્મચારીઓની સતત તાલીમ જરૂરી બને છે, જેથી સેવાની ગુણવત્તા ઉંચી રહે. NABH પ્રમાણપત્ર વાળી હૉસ્પિટલને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ માન્યતા મળે છે. ઘણા વીમા અને તૃતીય પક્ષ સંચાલક (TPA) માત્ર NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો સાથે જ સહકાર કરે છે.NABH માન્યતા માત્ર એક પ્રમાણપત્ર નથી, પણ તે હોસ્પિટલમાં વ્યાવસાયિકતા, જવાબદારી અને દર્દી પ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. NABH પ્રમાણપત્ર ધરાવતી હૉસ્પિટલ પર દર્દીઓ અને તેમના પરિવારજનનો વિશ્વાસ વધુ હોય છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!