Monday, February 2, 2026
HomeGujaratવાંકાનેરના પલાસડી ગામે પાણીની મોટરમાં વીજશોક લાગતા મહિલાનું મૃત્યુ

વાંકાનેરના પલાસડી ગામે પાણીની મોટરમાં વીજશોક લાગતા મહિલાનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના પલાસડી ગામમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે, જેમાં પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઇ પરમાર ઉવ.૩૭ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં પાણી ચડાવવાની ઇલેક્ટ્રીક મોટર પાસે હતા. આ દરમિયાન મોટરને અડતા અચાનક શોર્ટ લાગતાં તેમને વીજશોક લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર તબીબ દ્વારા મરણ ગયા અંગેનું જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!