મોરબીના સબ જેલ ખાતે જેલોના ડી. જી.પી. ડૉ. કે. એલ. રાવના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી દ્વારા ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલર, અધિકારીઓ, જેલ સ્ટાફ, બંધિવાન બહેનો અને ભાઈઓએ યોગ કરી આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી “દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર, બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધિકારી, કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ બંંદીવાન ભાઈઓએ ભાગ લઈ યોગ દિવસનું સફળ આયોજન કર્યું હતું.